- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપ સરકાર આપશે અમદાવાદને ભેટ
- આપણું અમદાવાદ હવે બનશે ‘કર્ણાવતી’
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતો ચૂંટણી લક્ષી મુદ્દો હવે ભાજપ સરકાર અમલમાં લાવવા જઈ રહી છે. ગુજરાતના મુખ્ય ગણાતા શહેરનું નામ હવે બદલાઈ જશે. અમદાવાદીઓ જેની છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યાં છે તે હવે માર્ચથી તેમને મળી શકે છે. આપણા અમદાવાદનું નામ હવે કર્ણાવતી થઈ જશે. ઈનસાઈડ મીડિયા નેટવર્કના સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનાથી અમદાવાદને કર્ણાવતી નામ આપવામાં આવશે.
અમદાવાદ નામ પ્રત્યે અનેક વખત રાજકીય રણનીતિ બની છે. તેમજ શાસક પક્ષ દ્વારા 20 વર્ષ પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ અત્યાર સુધી અમદાવાદનું નામ કર્ણાવતી કર્યું નથી.હિન્દુવાદી ભાજપ પક્ષ દ્વારા 1990માં અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો નિર્ણય કર્યો હતો.જે હવે સાકાર થવા જઈ રહ્યો છે.
આ પહેલા જયારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું જિલ્લાનું નામ અયોધ્યા કર્યું, તે સમયે પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગણી ઊઠી હતી. ત્યારે હવે આખરે અમદાવાદને કર્ણાવતી નામ મળશે