ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ, કુંભ મેળામાં જવું પડ્યું ભારે

દેશમાં કોરોના હાહાકાર વર્તાઈ રહ્યો છે. દેશમાં કોવિડ -19ના સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીની સ્થિતિ જોતાં જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રીતે કંન્ટ્રોલ કરવામાં આવી રહી છે. દેશમાં કોરોના હાહાકાર વચ્ચે હાલમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમણે આ માહિતી ટ્વિટ કરીને જણાવ્યું છે કે શરૂઆતી લક્ષણો જણાતાં મેં કોરોના રિપોર્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું સેલ્ફ આઈશોલેશનમાં છું અને ડોક્ટરોની સલાહ સુચન મુજબ સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ કાર્ય વર્ચુઅલી રીતે કરી રહ્યો છું.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારથીજ તેમને આઈસોલેટ કરી લીધા હતા. તે સમગ્ર કામકાજ હમણા પોતાનાં ઘરેથી વર્ચ્યુઅલી જ કરી રહ્યા છે. કોરોના પર થતી રોજની મિટીંગ 11ની બેઠકને પણ તેમણે વર્ચ્યુઅલી જ સંબોધી હતી. આદિત્યનાથે મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમનાં કાર્યાલયનાં અમુક અધિકારી કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે અને તેમના સંપર્કમાં હોવાને લઈને તે પણ આઈસોલેટ થઈ ગયા છે

કોરોના સંક્રમણનાં મામલમાં યૂપી હવે દેશમાં બીજા નંબર પર પહોચી ગયું છે. આંકડાઓ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં રોજ આવનારા અને કન્ફર્મ થઈ રહેલા કેસ પાછલા મહિનાની સરખામણીએ 204% વધી ગયા છે. મંગળવારે અહીંયા એક જ દિવસમાં 18021 નવા કેસ રિપોર્ટ થયા. 24 કલાકમાં 85 કોવીડ દર્દીઓનાં મોત થયા છે.

Related posts

Vaccination: આવતીકાલથી 18 વર્ષથી ઉપરના લોકો રજિસ્ટ્રેશન થશે, 1 મેથી રસી આપવામાં આવશે

Inside Media Network

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની પ્રકિયા ચાલુ , ત્રણ આતંકવાદીઓ ઘેરાયા

AMCની ટીમ નિકળી છે ચેકિંગમાં, જાહેરનામાનો ભંગ થશે તેના વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી

Inside Media Network

નોઇડા: ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, બે બાળકોનાં મોત, 30 ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે

Inside Media Network

કોરોના: દિલ્હીમાં લોકડાઉન થશે? આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું – તેનો ઉકેલ શોધવો મુશ્કેલ છે

Inside Media Network

મહાનગરપાલિકાનો વિચિત્ર નિર્ણય, શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી

Republic Gujarat