- 24 કલાકમાં 380 કોરોનાના કેસ નોંધાયા
- 24 કલાકમાં 296 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- એક દર્દીનું કોરોનાથી મૃત્યુ
ગુજરાતમાં ફરી કોરોનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી હતી.છુટછટ મળતાન સાથે જે કોરોના ફરી વકર્યો હોય હોય તેવું દેખાય સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1800ને પાર પહોંચી છે.જો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 380 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.
ત્યારે વધતા કોરોનાના કેસોને લઈને સ્પષ્ટ રીતે કહી શકાય કે ચૂંટણીના કારણે આપવામાં આવેલી રાહત, પર હવે ફરી કડકાઈ લાવવામા આવશે અને તંત્ર સતર્ક બનશે.
ગુજરાત રાજયના અન્ય શહેરોમાં કોરોનાની પરિસ્થતિની વાત કરવામાં આવે તો,અમદવાદમાં 84 વડોદરામાં 80 સુરતમાં 64 રાજકોટમાં 55,ગાંધીનગરમાં 10 અને જામનગરમાં 16 કેસો નોંધાયા છે.આમ,મહાનગરોમા કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના પરિણામે આવનારા સમયમાં તંત્ર દ્વારા કડક પગલાં લેવાય શકે છે.રાજ્યમાં કોરોનથી મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો છે.તેમજ વધતા જતા કોરોનાના કેસોને કારણે વિવિધ સ્થળો પર ટેસ્ટિગ બુથ શરૂ કરવામાં આવ્યા છે.