કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. સુરતીલાલાઓને કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવાની લીલી ઝંડી આપી છે. ટૂંક સમયમાં હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે, સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે ક્રુઝ સેવા શરૂ કરી છે. ત્યારે હવે સુરતવાસીઓ માટે વધુ એક સેવા શરૂ કરાશે.
સુરતનાં હજીરા પોર્ટ થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.
દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરા થી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે.
આ ક્રુઝ અનેક સુવિધાઓથી સજ્જ હશે. 300 મુસાફરો મુસાફરી કરી શકે તેવી ક્ષમતા હશે. ક્રૂઝ દર સોમવારે તથી બુધવાર સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે, બીજી તરફ તે દિવસે સાંજે દીવથી મુસાફરો સાથે ઉપડીને તેના પછીની દિવસે તે સવારે હજીરા પોર્ટ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે હજીરાથી દીવ પહોંચતા અંદાજીત 13થી 14 કલાકનો સમય લાગશે. ક્રૂઝમાં 16 જેટલી કેબિનો બનાવવામાં આવી છે. ક્રૂઝ અઠવાડીયામાં બે ટ્રીપ કરશે. ક્રૂઝ ગેમિંગ ઝોન, વીઆઈપી લોન્જ, એન્ટરટેઈન્ટમેન્ટ ઓન ડેક જેવી સુવિધાઓથી સજ્જ છે.
