નવી ગાઈડલાઈન થઇ જાહેર: આ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત 7 દિવસ સુધી રહેવું પડશે કોરન્ટીનમાં
દેશમાં કોરોના ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તેના કારણે સરકાર કડક નિયમો લાવી રહી છે. કોરોના વાયરસની સંક્રમણના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર યુકે, યુરોપ, મિડિલ ઈસ્ટ, સાઉથ આફ્રિકાથી આવતા મુસાફરોને હવે 7 દિવસ સુધી ઈંસ્ટીટ્યુશનલ અને 7 દિવસ સુધી હોમ કોરન્ટીન રહેવું ફરજિયાત છે.
નવી ગાઈડલાઈન અનુસાર 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને પાંચ વર્ષથી નીચેના બાળકોને ઈંસ્ટીટ્યુશનલ કોરન્ટીનમાંથી છૂટ આપવામાં આવશે. બીએમસીએ તેને લઈને દિશા-નિર્દેશો પણ જાહેર કર્યા છે.
જે ગંભીર બિમારીથી પીડિત હોય, જેને તાત્કાલિક મેડિકલ ઈમરજન્સીની જરૂરિયાત હોય તેવા મુસાફરો છૂટનો લાભ લઈ શકે છે. મેડિકલ ઈમરજન્સીની કેટેગરીમાં તે લોકોને રાખવામાં આવ્યા છે, જેના ઘરમાં પિતા, માતા, ભાઈ, બહેન અથવા અન્ય સભ્યો કોઈ ગંભીર બિમારીથી પીડાતા હોય. અથવા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું. આવા યાત્રિઓને કોવિડનો ડોઝ પુરો કરી લીધો હોય. મેડિકલ પ્રોફેશનલ્સ જે સર્જરી અથવા બીજા જરૂરી કામથી મુંબઈ આવતા હોય તેમને ઈંસ્ટીટ્યુશનલ કોરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
