અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના 35 જેટલાં કર્મચારીઓ અને અધિકારીઓ કોરોનના કારણે મોતના ઘાટે ઉતાર્યા છે. આ અંગે મૃતકોના પરિવારજનોને રૂ. 25 લાખની સહાય મળે તે માટે સરકારના શહેરી વિકાસ વિભાગમાં 35 ફાઇલો મોકલાઇ હતી મૃત્યુ પામનારના પરિવારજનોને રૂ. 25 લાખની સહાય મળશે. એટલે કે ઓફિસનું કામ કરતાં હોય અને કોરોના થી સંક્રમિત થયા હોય તેવા કર્મચારી-અધિકારીના પરિવારજનોને આ લાભ મળવાની શક્યતા ના બરાબર છે.
ઉપરાંત શહેરી વિભાગે સ્પષ્ટ ટકોર કરી છે કે, ભવિષ્યમાં સરકારને જ્યારે પણ દરખાસ્ત કરવામાં આવે ત્યારે પુરતી તકેદારી રાખી યોગ્ય ચકાસણી કરીને વિભાગના અગાઉના પરિપત્ર મુજબ મ્યુનિ. કમિશનરની સહીથી દરખાસ્ત રજુ કરવી, જેથી બિનજરૂરી પત્રવ્યવહાર ટાળી શકાય. એટલે કે, અગાઉ dycmની સહીથી ફાઇલો મોકલાઇ હતી તે હવે મ્યુનિ. કમિશનરની સહીથી જ મોકલવા જણાવાયું છે.
The post નવો પરિપત્ર: મોતને ભેટનાર કોરોના વોરિયર મામલે રૂપાણી સરકારે નિર્ણય ફેરવ્યો appeared first on Gujarat Inside.