મુંબઈ: શરદ પવારની અચાનક તબિયત લથડતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા ભરતી


એનસીપી પ્રમુખ શરદ પવારને રવિવારે મોદી રાતે અચાનક તબિયત બગડતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે આ નાગે જાણકારી આપતા કહ્યું કે, પેટમાં અચાનક ભારે દુખાવો થયો અને એમને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ ડોક્ટરની નજરમાં શરદ પવારની તપાસ કરવામાં આવી રહી છે.

નવાબ મલિકે જણાવ્યું કે તેમની એન્ડોસ્કોપી અને સર્જરી 31 માર્ચ 2021ના રોજ કરવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં એનસીપી પ્રમુખના દરેક કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરવામાં આવ્યા છે. આ સાથે જ મલિકે એવી માહિતી પણ આપી છે કે, હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી સલાહ પછી તેમની લોહી પાતળા થવાની દવા બંધ કરી દેવામાં આવી છે.

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજયમાં લોકો આપેલા નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરી રહ્યા નથી. એટલા માટે લોકડાઉન જેવા કડક પગલાં ભરવા બાબતે વિચાર કરવાની જરૂર છે. જો લોકો આ જ પ્રમાણે નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ જ રાખશે તો લોકડાઉન જેવા પ્રતિબંધો માટે તૈયાર રહે.

Related posts

100 કરોડની વસૂલાત: સીએમ ઠાકરેએ આપ્યા આદેશ, હાઇકોર્ટના નિવૃત જજ કરશે દેશમુખ સામેના આરોપોની તપાસ

Inside Media Network

હવા દ્વારા કોરોના વાયરસનો થાય છે ઝડપી ફેલાવો, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા પક્કા પુરાવા

Inside Media Network

સુશાંત સિંહ રાજપૂતની બાયોપિક પર પ્રતિબંધ લગાવવાની માંગ, દિલ્હી હાઈકોર્ટે નિર્માતાઓને નોટિસ મોકલી

Inside Media Network

પીએમ મોદીએ બંગાળમાં તેમની રેલી મુલતવી રાખી, કોરોના પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

Inside Media Network

ગૃહ પ્રધાન અમિત શાહ એ જ્યાં રોડ શો કર્યો હતો, ત્યાં થી મળી આવ્યા 41 ક્રૂડ બોમ્બ

દિલ્હી: 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લગાવાયો, રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ

Republic Gujarat