પેટ્રોલ ડીઝલની સાથે હવે રેલવે પણ ભાવ વધારાની હરોળમાં આવી ગઈ છે ત્યારે સામાન્ય લોકોને રેલવેમાં મુસાફરી કરવી પણ અઘરી બનશે તે વાતને કોઈ શંકા નથી.
હાલમાં રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે રેલાવે દ્વારા ઓછા અંતરની ટ્રેનના ભાડામાં વધારો કરવામાં આવશે.તેમજ તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે ઘણા સમયથીટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો.જેના પરિણામે ઓછા અંતરની ટ્રેનના ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે.તેમજ કોરોના ના કારણે ટ્રેનોની ફ્રીક્વન્સીમાં વધારો કરવામાં આવશે જેના કારણે કોરોના ગાઈડલાઈનનું પણ યોગ્ય પણે પાલન થાય.
તેમજ ઉલ્લેખનીય છે કે રેલેવે દ્વારા કરવામાં આવેલા ભાડા વધારાની અસર માતર 3 ટકા ટ્રેનો પર જ પડશે.તેમજ વધતા જતા કોરોનના કેસોને કારણે ટ્રેનોમાં ભીડનું પ્રમાણ ઘટાડવા ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે,તેમજ રેલવે દ્વારા ટિકિટ પર આપવામાં આવતી સબસીડીઆ કારણે પેહલાથી જ નુકશાન ભોગવી રહ્યું છે
રેલવેના નિર્ણયથી 30 થી 40 કિલોમીટર સુધીની ટ્રેન મુસાફરી કરનારા મુસાફરોને ટિકિટ માટે વધારે ભાવ આપવા પડશે..
ભારતીય રેલવે દ્વારા લોકડાઉન હટાવાયા બાદ તબક્કાવાર રીતે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવીરહ્યો છે..હાલમાં 1250 એક્સપ્રેસ ટ્રેનો, 5350 સબર્બન ટ્રેનો અને 326 જેટલી પેસેન્જર ટ્રેનો રોજ દોડી રહી છે.