લોકડાઉનની અફવા અંગે મોટી ખબર , AMC એ કર્યો ખુલાસો

લોકડાઉનની અફવા અંગે મોટી ખબર , AMC એ કર્યો ખુલાસો

અમદાવાદ અને સુરતમાં કોરોનાને કાબુમાં લેવા તંત્રએ કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં બાગ-બગીચા, જીમ અને શાળા-કોલેજો તેમજ શનિ-રવિ વારે મોલ-થિયેટર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉન આવવાની અફવા વાયુવેગે ફેલાઈ રહી છે. લોકોમાં આ મુદ્દે સતત ચર્ચા થતા એએમસીને ખુલાસો આપવો પડ્યો છે. અમદાવાદ માં શનિવારે અને રવિવારે લોકડાઉન થવાની વાત ખોટી હોવાનું એએમસીએ જણવ્યું છે. તેમજ અફવાઓને ન ફેલાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને અપીલ કરી છે. શનિવાર અને રવિવારે માત્ર મોલ અને થિયેટર જ બંધ રહેવાના છે.

AMC એ ખુલાસો કરતા જણાવ્યું કે, હાલ કોઈ લોકડાઉન થવાનું નથી

અમદાવાદમાં લોકડાઉનની અફવા અંગેની મોટા સમાચાર સામે આવ્યા છે. AMCએ અમદાવાદમા લોકડાઉનની અફવાઓનું ખંડન કર્યું છે. તો AMC એ ખુલાસો કરતા જણાવ્યું કે, હાલ કોઈ લોકડાઉન થવાનું નથી. શનિ-રવિવારે માત્ર મોલ અને થિયેટર બંધ છે. લોકડાઉન અંગેના ખોટા સમાચાર વહેતા થયા છે. AMC દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ વાતનો ખુલાસો કરાયો છે.

Related posts

આજથી શરુ હોળાષ્ટક, જાણો શું છે તેનો મહિમા

Inside Media Network

મહારાષ્ટ્રમાં શાળા કોલેજો બંધ કરવા કરાયા આદેશ

Inside Media Network

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો કરી શકશે સારવાર

પોતાની સંપત્તિમાં હિન્દુ મહિલા પિતાને વારસદાર બનાવી શકે છે :સુપ્રિમ કોર્ટ

Inside Media Network

ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરનારી બહેનને ભાઈએ છરીના ઘા ઝીક્યાં

Inside Media Network

જાણો શું કામ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ અને તેનું મહત્વ

Inside Media Network
Republic Gujarat