વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના એઈમ્સમાં ગુરૂવારે સવારે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું અમારી પાસે વાયરસને હરાવવા માટે અમુક ઉપાયોમાં વેક્સિનેશન પણ છે, જો તમે પણ વેક્સિન લેવા માટે યોગ્ય હોવ તો, ટૂંક સમયમાં જ લગાવી લો.કોવિન પોર્ટલ પર રજિસ્ટર કરાવો.

પીએમ મોદીએ કોરોના રસીનો પહેલો 1 માર્ચના રોજ લીધો હતો. તેઓ અચાનક નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા હતા અને ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. દિલ્હી એમ્સમાં કામ કરતા પુડુચેરીના સિસ્ટર પી નિવેદાએ પીએમ મોદીને કોરોના રસીનો પહેલો ડોઝ આપ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 33 લાખથી વધારે લોકોને છેલ્લા 24 કલાકમાં રસી આપવામાં આવી છે. આજે દુનિયામાં રસી આપવાના મામલે ભારતમાં આગળ છે. અત્યાર સુધીમાં દેશમાં 8.70 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી સર્વાધિક પાંચ કરોડથી વધારે લોકોની ઉંમર 45 અથવા તેનાથી વધારે છે. આ લોકોને ગત 1 માર્ચથી રસી આપવાનું શરૂ થયુ છે.

Related posts

ગુજરાત: રેમેડિસવીર ઇન્જેક્શનના માટે લાગી લાંબી લાઈન, ક્યાંક સર્જાઈ ઓક્સિજનની અછત

Inside Media Network

ગુજરાતના ત્રીજા શહેરમાં કરફ્યૂના સમયમાં વધારો કરાયો

Inside Media Network

આંબેડકર જયંતી: વડા પ્રધાન મોદીએ સલામી આપી, કહ્યું- બાબાસાહેબે દેશની લોકશાહીને મજબૂત પાયો આપ્યો

Inside Media Network

બંગાળ: ભાજપના કાર્યકરની માતાનું લડાઈમાં મોત, અમિત શાહેએ ટી.એમ.સી પર મૂક્યો આરોપ

Inside Media Network

50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સનો ડેટા થયો લીક, ફોન નંબર સહિતની આ માહિતી સાર્વજનિક થઈ

લોન્ચિંગ: મોટોરોલા ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કરશે, જેની કિંમત 13,999 રૂપિયા છે

Inside Media Network
Republic Gujarat