વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: કોરોનાનો કહેર જોતા JEE મેઈન પરીક્ષા સ્થગિત, કોરોનાના વધતા સંક્રમણને પગલે NTA એ લીધો નિર્ણય

કોરોના વાયરસના કહેરની વચ્ચે JEE મેનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે, નવી તારીખની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.

JEE મેનની પરીક્ષા ના બે સેશન અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં પૂરા થઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસ બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાની માગણીને ધ્યાનમાં રાખીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા હાલ મોકૂફ રાખી છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓની સતત માંગને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાની તારીખના 10 દિવસ અગાઉ તેને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા 27,28 અને 30 એપ્રિલે યોજાવવાની હતી. પરીક્ષાઓની નવી તારીખ થોડા સમયમાં જાહેર કરવામા આવશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કોરોનાની સ્થિતિને જોતા જેઈઈ મેઈન્સ સ્થગિત કરવાનું સૂચન આપ્યું હતું. પરીક્ષાની નવી તારીખ 15 દિવસ અગાઉ જણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળી રહે.

Related posts

પ્રિયંકા ગાંધી ત્રણ દિવસીય પ્રવાસ પર લખનૌ પહોંચ્યા, કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું

નોઈડા: ચોરેલા મોરના ઇંડાની બનાવીઓમેલેટ, પોલીસ તપાસ હાથ ધરી,થઇ શકે છે સાત વર્ષ સુધીની સજા

સીડીએસએ વડા પ્રધાનની મુલાકાતે: સેનાના નિવૃત્ત તબીબી અધિકારીને પણ કોરાનાની ફરજમાં,મહામારીની સમીક્ષામાં સમન્સ

Inside Media Network

ચૂંટણી પંચ પર મદ્રાસ હાઈકોર્ટે આક્રોશ વ્યક્ત કર્યો, જણાવ્યું કે- તેઓ કોરોના ફેલાવે છે, ખૂનનો કેસ દાખલ કરવો જોઇએ

Inside Media Network

કાશ્મીરના શોપિયનમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે તકરાર

Inside Media Network

મુંબઇ: પરમબીરના મુખ્યમંત્રીને મળ્યો પત્ર, ગૃહ પ્રધાન દેશમુખ પર 100 કરોડની માંગનો આરોપ

Inside Media Network
Republic Gujarat