શજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે અને 72 કલાકની અંદર સુરક્ષાદળોએ કાશ્મીર ખીણના 12 આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા છે. ટેરિટોરિયલ આર્મીના એક જવાનની હત્યા કરનારા આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનોની હત્યાનો બદલો લીધો છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે આ બધી માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે જણાવ્યું કે,‘બિજબિહારા ખાતે હાથ ધરાયેલ ઓપરેશન પૂર્ણ થયું. કુલ 12 આતંકીઓને છેલ્લા 72 કલાકમાં ઠાર મારવામા આવ્યા છે. 4 સ્થળોએ આતંકીઓને ઘેરી ઓપરેશન હાથ ધરાયું હતું. જે પછી ત્રાલ અને શોપિયાંમાં 7 આતંકીઓ, હરિપોરાના અલ બદ્ર ખાતે 3 આતંકીઓ અને બિજબેહારામાં 2 આતંકીઓને ઠાર મારવામા આવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબેહરા ક્ષેત્રના સેમથનમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અહી શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. મોડી રાત સુધી અથડામણ શરૂ રહી હતી અને સુરક્ષાદળોએ આતંકવાદીઓન છટકી ન જાય તે માટે આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી.
બિજબેહારામાં જે આતંકીઓને ઠાર મારવામા આવ્યા હતા તેઓ ટેરિટોરિયલ આર્મીના જવાનની હત્યામાં સામેલ હતા. બિજબેહારામાં ઠાર મરાયેલા આતંકીઓ લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હતા.’
રવિવારે સવારે ફરી આ અથડામણ શરૂ થઇ અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ શુક્રવારે બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનમાં ટેરિટોરિયલ આર્મીના જવાન મોહમ્મદ સલીમ અખુનની હત્યામાં સામેલ હતા. કાશ્મીરના પોલીસ મહાનિદેશક વિજય કુમારે કહ્યું, “સૈન્ય જવાનને મારવા માટે જવાબદાર આતંકવાદીઓને સુરક્ષાદળોએ બિજબેહરા એન્કાઉન્ટરમાં બે દિવસની અંદર જ ઠાર કર્યા છે.
