ગુજરાતીઓ થઈ જાઓ સાવધાન,મહારાષ્ટ્ર બાદ હવે ગજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ફરી એક વખત ગુજરાતના માથે કોરોનાનું સંકટ ઘેરાતું દેખાય રહ્યું છે.24 કલાકમાં ગુજરાતમાં 424 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત પર ફરી ઘેરાયું કોરોનાનું સંકટ
24 કલાકમાં 424 કોરોનાના પોઝિટિવ કેસો
રાજય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી વિગતો અનુસાર 24 કલાકમાં 424 કોરોનના કેસ સામે આવ્યા છે.ત્યારે 301 દર્દીએ કોરોના સામે લડત આપી છે. ત્યારે એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે.ત્યારે 35 કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટીલેટર પર છે.
ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસોમાં થયો વધારો જોવા મળી રહ્યો છે.અમાદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 71 તથા ગ્રામ્યમાં 4, સુરત શહેરમાં 79 તથા ગ્રામ્યમાં 8, વડોદરા શહેરમાં 79 તથા ગ્રામ્યમાં 10, રાજકોટમાં 54 તથા ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા. ફરી વધતા કોરોનાના કેસોને લઈને ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
વધતા જતા કોરોનાના કેસોને લઈને અમદાવાદ શહેરમાં ડોમ શરૂ કરવામાં આવ્યા છે.ત્યારે જાહેર જગ્યાએ અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ શરુ કરવામાં આવ્યા છે.