અટકળોનો અંત, પ્રશાંત કિશોર નહીં બને કોંગ્રેસના સારથી

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ નહીં થાય તેવો સત્તાવાર ખુલાસો થઈ ગયો છે. છેલ્લા ઘણા પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલતી હતી, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાના એક ટ્વિટથી આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.

સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસની ઓફર પ્રશાંત કિશોરે ઠુકરાવી છે, કોંગ્રેસ પક્ષ તેમની રણનીતિના સૂચન માટે આભાર માને છે પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એક એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી છે અને પ્રશાંત કિશોરને જવાબદારી આપતા ગ્રુપમાં સામેલ કરવા માટે આમંત્રિત કર્યા છે. જોકે તેમણે આ માટે ના કહી છે. અમે તેમણે પાર્ટીને કરેલા સુચનો બદલ તેમના આભારી છે.

થોડા સમય પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરીને વિસ્તારપૂર્વક પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારે એવું હતું કે ટૂંક સમયમાં પ્રશાંત કોંગ્રેસ સાથે જોડાઈ ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે.

Related posts

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે કરાયા દાખલ

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો વાર, કહ્યું – આસામ હિંસા સહન કરનાર નથી

સચિવાલયમાં કોરોનાનો પગપસારો, પાંચ નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટિવ

Inside Media Network

બંગાળ: પૂર્વ મિદિનાપુરમાં મમતાનો પડકાર, કહ્યું- અમે મોદીનો ચહેરો જોવા નથી માંગતા

Inside Media Network

રસીકરણની તૈયારીઓ ઝડપી, નોંધણી 28 એપ્રિલથી કોવિન અને આરોગ્ય સેતુ એપ પર કરવામાં આવશે

Inside Media Network

દિલ્હી: 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લગાવાયો, રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ

Republic Gujarat