Ram Navami 2021: ભગવાન રામના જન્મોત્સવનીના મહિમા વિશે જાણો

ચૈત્ર નવરાત્રિની નવમી તિથિ રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામએ રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. ભગવાન રામને ભગવાન વિષ્ણુના વંશજ માનવામાં આવ્યા છે. આ જ મુખ્ય કારણ છે કે ચૈત્ર નવરાત્રિની નવમી તિથિને રામનવમી પણ કહેવામાં આવે છે. અસત્ય પર સત્યની જીત અને ખરાબ પર સારાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસને દુનિયાભરના રામભક્ત ધામધૂમથી ઉજવે છે.

રામ નવમીના દિવસે લોકો સ્નાન વગેરે કામ પૂરા કરીને વ્રતનો સંકલ્પ કરે છે. તેના પછી સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી વ્રત રાખે છે. રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામના વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં રામચરિતમાનસની ચોપાઈ સાંભળવા મળે છે. લોકો પોતાના મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન શ્રીરામના ચરણોમાં શ્રદ્ધાના પુષ્પ અર્પણ કરે છે. ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયો, આથી આ તિથિનું મહત્વ વધારે છે. કેમ કે ભગવાન રામ તો સ્વયં જ ભગવાન વિષ્ણુનો અવતાર છે. આ દિવસે ભગવાન સ્વયં ધરતી પર જન્મ્યા હતા. એવામાં લોકો તેમની આરાધના કરીને પોતાની મનોકામનાઓ પૂરી કરી લેવા ઈચ્છે છે.

શ્રીરામ ભગવાન વિષ્ણુના 7 મા અવતાર હતા. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનના 1 હજાર નામોનો ઉલ્લેખ છે. તેમાંથી 394 સ્થાન પર ભગવાન વિષ્ણુનું એક નામ રામ જણાવવામાં આવ્યું છે

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો, 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

Inside Media Network

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી, રૂપાણી સરકારે કોર્ટમાં જવાબો રજૂ કર્યા, મેન પાવર ઓછો હોવાની વાત સ્વિકારી

Inside Media Network

વધતા પ્રદુષણને લઈને દિલ્હી સરકારનો નવો નિયમ જાણો શું છે

Inside Media Network

લોકોનાં મનની વાતો,વિચારો અને ભાવોને અલગ અલગ શબ્દોમાં વર્ણવતા ગુજરાતી લેખિકા સંદિપા ઠેસિયા

Republic Gujarat Team

ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવાયો,બીજીવાર આપવામાં આવ્યું એક્સેટેન્શન

Inside Media Network

મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કારમાંથી મળી ચિઠ્ઠી, શું લખ્યું હતું આ ચિઠ્ઠીમાં?

Inside Media Network
Republic Gujarat