તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાનું ૭૭ વર્ષે નિધન

તારક મહેતા ફેમ નટુકાકા(ઘનશ્યામ નાયક)નું 77 વર્ષની વયે મુંબઇમાં પોતાના નિવાસસ્થાને નિધન થયું છે. તેમની કેન્સરની સારવાર માટે કીમોથેરાપી સેશન્સ શરુ કરાયા હતાં. અગાઉ કરયેલા ગળાના ઓપેરશનમાં 8 ગાંઠ નીકળી હતી. નટુકાકા મુશ્કેલ સમયમાં પણ સતત કામ કરી રહ્યાં હતાં. 77 વર્ષની ઉંમરે પણ લોકોને ખૂબ મનોરંજન પીરસ્યુ હતું. ઘનશ્યામ નાયક રંગમંચ,ભવાઇના પ્રસિદ્ધ કલાકાર પણ હતાં. નટુકાકા ઘરે ઘરે જાણિતા હતા. તેમના નિધન અંગે તારક મહેતાના ડાયરેક્ટર અસિત મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી

ઘનશ્યામ નાયક(નટુકાકા)નું નિધન થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાતી રંગમંચથી શરૂ કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકના નટુકાકાના હુલામણા નામથી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.

Related posts

ચિત્રાશી રાવતે ફાટેલી જીન્સ પહેરતા થઇ ટ્રોલ કહ્યું, – તીરથ સિંહ રાવત મારા પિતા, પણ મારે મુખ્યમંત્રી સાથે કોઈ સંબંધ નથી

Inside Media Network

અભિનેતા આમિરને થયો કોરોના, ઘરે થયા ક્વોરેન્ટાઇન

Inside Media Network

કરિશ્મા કપૂર અને જયા બચ્ચન વર્ષો પછી નિખિલ નંદાના જન્મદિવસ પર એક સાથે દેખાયા, તસવીરો થઇ વાયરલ

Inside Media Network

ગુજરાતની લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીનું નવું ગીત થયું રીલીઝ

Inside User

રૂબીના દિલેક ટીવીની નવી ‘નાગિન’ બનશે, એકતા કપૂર કરી રહી છે વિશેષ તૈયારી

Inside Media Network

Oscars Awards 2021/ દુનિયાના સૌથી મોટા એવોર્ડની જાહેરાત, જાણો કોણ કોણ છવાયું એવાર્ડ નાઈટમાં

Inside Media Network
Republic Gujarat